પરીક્ષણ ક્યારે કરવું
જો તમને COVID-19નાં કોઇ પણ લક્ષણો હોય તો, તમારે પરીક્ષણ કરવું જોઇએ.
COVID-19 પરીક્ષણોનાં પ્રકારો
બે પ્રકારનાં પરીક્ષણો તમને COVID-19 વાયરસનો ચેપ લાગ્યો છે કે કેમ તે શોધી શકે છે:
- રેપિડ એન્ટિજન્ટ સેલ્ફ-ટેસ્ટ્સ (આરએટીએસ)
- પોલિમરાઇઝ ચેઇન રીએક્શન (પીસીઆર, અથવા આરટી-પીસીઆર)
COVID-19 પરીક્ષણ કેવી રીતે કામ કરે છે તે વિશે વધુ જાણો.
પરીક્ષણ ક્યાં કરાવવું
તમે આરએટી પરીક્ષણ ઘરે જ કરી શકો છો. દવાની દુકાનો, અથવા મોટા સુપરમાર્કેટો અને કેટલાક પેટ્રોલ સ્ટેશન સહિતનાં છૂટક વેપારીઓ આ પરીક્ષણો વેચે છે.
માર્ગદર્શિકાઓ વાંચો:
પીસીઆર પરીક્ષણ કરાવવા, એક સંદર્ભ લેવા તમારે તમારા જીપીનો સંપર્ક કરવો પડશે અથવા જો તમારા રાજ્ય કે પ્રદેશમાં ઉપલ્બ્ધ હોય તો COVID-19 પરીક્ષણ કેન્દ્રની મુલાકાત લો.
તમારી નજીકનાં પરીક્ષણ કેન્દ્રની સૂચિ જોવા તમારા સ્થાનિક આરોગ્ય ખાતાંની મુલાકાત લો.